એક કલાક શૈક્ષણિક કાર્ય + એક કલાક સર્વાંગી વિકાસકાર્ય
જ્યાં વિદ્યાર્થી શાળા સુધી નથી પહોંચી શકતો ત્યાં શાળાએ વિદ્યાર્થી સુધી પહોંચવું જોઈએ - સ્વામી વિવેકાનંદ
સંસ્કાર સિંચન દ્વારા સંસ્કૃતિ જતન
જયા સુધી સંસ્કૃતિ જીવંત છે ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણપણે પરાજિત ન થઈ શકે, સંસ્કાર શાળાના માધ્યમથી બાળકોમાં સનાતન હિંદુ ધર્મના સંસ્કાર અને વ્યવહારિક તથા પારિવારિક સંબંધો માં જરૂરી યોગ્ય સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.
શિક્ષણ એ વ્યક્તિની દરેક પ્રકારની સમસ્યાઓનો શ્રેષ્ઠ ઉકેલ છે. ભારતના અંતરિયાળ અને છેવાડાના સરહદી વિસ્તારમાં રહેતા વનવાસી ગિરિવાસી પ્રજામાં સંસ્કાર શાળાઓના માધ્યમથી ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ પરંપરાઓ જીવંત રાખવા સંસ્થા દ્વારા શિક્ષણ સામગ્રીનું વિતરણ, શિક્ષણ શુલ્કની સહાયતા તેમજ વ્યક્તિત્વ વિકાસની શિબિરનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત બાલ સંસ્કાર કેન્દ્ર, બાલ ગોકુલમ, બાલવાડી, અભ્યાસિકા પાઠ દાન કેન્દ્ર, ઉચ્ચ શિક્ષા કોચિંગ કેન્દ્ર, પ્રતિયોગી પરીક્ષાનું કોચિંગ કેન્દ્ર, શિક્ષા સાક્ષરતા કાર્યક્રમ અને નિરાશ્રીત બાલક બાલિકા સદન બનાવવામાં આવે છે.
એક કલાક શૈક્ષણિક કાર્ય + એક કલાક સર્વાંગી વિકાસકાર્ય
જ્યાં વિદ્યાર્થી શાળા સુધી નથી પહોંચી શકતો ત્યાં શાળાએ વિદ્યાર્થી સુધી પહોંચવું જોઈએ- સ્વામી વિવેકાનંદ
આવનારા સમયમાં રાષ્ટ્ર અને સંસ્કૃતિ રક્ષણ કરવા શૌર્ય સભર સમાજનું નિર્માણ કરવું પડશે અને તે માટે શરીર એક સાધન છે.
તેથી તેને યોગ્ય વ્યાયામ તથા શારીરિક અને બૌદ્ધિક રમતોનો નિત્ય અભ્યાસ સંસ્કાર શાળામાં કરાવવામાં આવે છે.